E-governance Gujarat શું છે અને તેના લાભ અને સુવિધા શું છે સમજાવો

 E governance Gujarat ઈ-ગવર્નન્સ ગુજરાત શું છે  અને  તેના લાભ અને સુવિધા શું છે સમજાવો 
 સરકાર પોતાનો વહીવટ ચલાવવા માટે હવે ઇન્ટરનેટ નો ઉપયોગ વ્યાપક રીતે કરી રહી છે.  સરકારના તમામ મંત્રાલય વિભાગો સંસ્થા સંગઠનો આજે પોતાની વેબસાઇટ  ચલાવે છે. 
આ વેબસાઇટ પર તથા વેબ પોર્ટલ પર જે તે મંત્રાલય વિભાગ કે સંસ્થાના સંદર્ભે બધી માહિતી હોય છે.  જવાબદાર વ્યક્તિ ઓ હોદ્દેદારોના સંપર્કો પણ તેના દ્વારા સાધી શકાય છે. 
સરકારી યોજનાઓ કાર્યક્રમો તેમજ ભવિષ્યના આયોજનો તથા પાછલા વર્ષો ના સંદર્ભે અહેવાલો પણ જાણી શકાય છે.  જુદી જુદી બાબતો પર સરકાર લોક મંતવ્યોને પણ આવકારે છે 
જેમકે mygov.in વેબસાઈટ દ્વારા માનનીય પ્રધાનમંત્રીશ્રી જુદા-જુદા વિષયો પર લોક મંતવ્યો મંગાવતા હોય છે.  આજે એન્ડ્રોઇડ એપ્લિકેશન્સ ધરાવતા સ્માર્ટફોન લોકોના હાથમાં આવી જતા આ કામ ઘણું સરળ બન્યું છે. 
હવે તો સરકારના  જુદાજુદા વિભાગો દ્વારા અલાયદી એપ્લિકેશન તૈયાર કરવામાં આવી રહી છે.  ઉપરાંત લોકો પોતાના નેતાઓને ટ્વીટર, ફેસબુક પર ફોલો કરી રહ્યા છે. 
 આમ સોશિયલ મીડિયા એ લોકો તથા સરકાર વચ્ચે એક સેતુ સમાન ભૂમિકા નિભાવી છે જન ધન યોજના, આધાર નંબર તથા મોબાઈલ નંબરના સમન્વય થી  કેન્દ્ર સરકારે JAM(Jan Dhan ,Adhar, Mobile) ના આધારે લોકોના સામાજિક આર્થિક સશક્તિકરણની દિશામાં નવી પહેલ કરી છે . 
 LPG સબસીડી પણ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર(DBT) હેઠળ સીધી જ ખાતામાં જમા થતી હોવાથી ભ્રષ્ટાચાર ઘટી રહ્યો છે. 
તેમજ સમય પણ બચી રહ્યો છે ,આ ગવર્નન્સ હેઠળ અનેક ક્ષેત્રોમાં નિયમન માર્ગદર્શન દ્વારા ઓછા સમયમાં ઘણા પ્રોજેક્ટ આગળ વધી રહ્યા છે. 
 ગુજરાત સરકારે પોતાના સરકારી કાર્યો માટે GSWAN-Gujarat  State Wide Area Network તૈયાર કર્યું છે.
 નાગરિકો ઇન્કમટેક્સ પણ ઈન્ટરનેટનાં  માધ્યમથી ભરી શકે છે . જેના કારણે સમય અને ઊર્જાની બચત થાય છે ઇન્ટરનેટની સુવિધા થી પેપરલેસ કોન્સેપ્ટ લોકપ્રિય બની રહ્યો છે. 

 સરકારી કચેરીઓ કે જે સામાન્ય રીતે ધૂળ ખાતી ફાઈલોના ભંગાર ગૃહ  તરીકે વધુ વ્યાખ્યાયિત કરી શકાય એ દ્રશ્યો હવે ભૂતકાળ બનશે.  કારણકે પેપરલેસ કાર્યોથી આ કાગળિયા ફાઇલોની કોઈ જરૂર નહીં પડે વૃક્ષો ને કાપવાની જરૂર પણ નહીં પડે અને પર્યાવરણ સુરક્ષા પણ મજબૂત બનશે. 

ગુજરાત સરકારે જમીન નોંધણી આવેદન પત્રોની આપ-લે કરવા માટે ઈ-ધરા પ્રોજેક્ટ ની શરૂઆત કરી છે.  વિદ્યાર્થીઓ જુદા-જુદા અભ્યાસક્રમોમાં જોડાઇ ને અભ્યાસ કરી શકે છે . સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી શકે છે તેમજ પોતાના પરિણામો પણ ઘરે બેઠા જાણી શકે છે. 

 ગ્રામ પંચાયતોને ઇન્ટરનેટથી જોડવા માટે નેશનલ ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક (IOFN) કાર્યરત છે. ઈ-ચોપાલ   દ્વારા ગ્રામજનો કૃષિ માર્કેટ તેમજ અન્ય બાબતો જાણી શકે છે ગુજરાત સરકારી ગ્રામ્ય મજબૂતી માટે "ઈ-ગ્રામ વિશ્વ ગ્રામ" ની શરૂઆત કરી છે. 
 ઈ-ગવર્નન્સ ના લાભ
  • કાર્યમાં ઝડપ અને પારદર્શિતા આવે છે. 
  • ખર્ચ પર નિયંત્રણ લાવી શકાય છે. 
  • લાભાર્થીને સીધી સેવા મળે છે . 
  • ભ્રષ્ટાચાર ઉપર રોક લાગે છે. 
 સરકારની કાર્યક્ષમતામાં વૃદ્ધિ થાય વગેરે લાભો થાય છે. 
ઈગવર્નન્સની સુવિધા
  • G2C -GOVERNMENT TO CITIZEN  ( સરકારથી નાગરિકો સુધી)
  • G 2B -GOVERNMENT TO BUSINESS ( સરકારથી ઉદ્યોગો સુધી)
  • G2G- GOVERNMENT TO GOVERNMENT  (સરકારથી સરકાર સુધી)
G2E -GOVERNMENT TO EMPLOYEES  (સરકારથી કર્મચારીઓ સુધી)

ભારતનું માહિતી તંત્ર

ભારત સરકારનું માહિતી તથા સંચાર તંત્ર  અને ડિજિટલ ઇન્ડિયા
 પ્રજાસત્તાક ભારતમાં માહિતી તથા સંચારને સ્થાપિત કરવા માટે સંચાર તથા માહિતી ટેકનોલોજી મંત્રાલય (Ministry of Communication and Information Technology) સેવારત હતું.
 વર્તમાનમાં આ મંત્રાલયમાં ઘણો ફેરફાર થઈ ચુકેલ છે 5 July 2016 ના રોજ ઉપરોક્ત મંત્રાલયને  વિલિન કરવામાં આવ્યું છે.  તેમજ તેમાંથી બે અલગ અલગ મંત્રાલયની સ્થાપના 19 July 2016 ના રોજ કરવામાં આવી છે. 
પરિવર્તન પૂર્વે ની વ્યવસ્થા
  • સંચાર થતા માહિતી ટેકનોલોજી મંત્રાલય 
  • ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન્સ 
  • ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેકટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી
  • ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ
મંત્રાલયને July 2016 માં પુનઃ ગઠિત  આવતાં તેમાંથી બે અલગ અલગ મંત્રાલયની સ્થાપના કરવામાં આવી છે.

  • મિનિસ્ટ્રી ઓફ ઇલેકટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી(Meity)
  • મિનિસ્ટ્રી ઓફ કમ્યુનિકેશન 
  • ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ
  • ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ
મતલબ કે વર્તમાન સમયે ભારતમાં માહિતી-પ્રસારણ તેમ જ સંચાર ટેકનોલોજી ની જવાબદારી ઓ ઉપરોક્ત મંત્રાલય ઉપર રહેલી છે ક્રમશઃ મંત્રાલય હેઠળ થતી વિભિન્ન કામગીરીઓ નો ખ્યાલ મેળવ્યે જે નીચે પ્રમાણે છે. 
A. મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેકનોલોજીmeity

1.  ઇન્ડિયા કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ( India Computer Emergency Response Team (Cert-In) અથવા (ICERT)

CERT- in ની સ્થાપના 19 જાન્યુઆરી 2004ના રોજ થઈ હતી. 
આ સંસ્થા ભારતમાં સાયબર સુરક્ષાની જવાબદારીઓ સાથે સંકળાયેલી પ્રમુખ સંસ્થા છે.

સાયબર સુરક્ષા સાથે ‌[હેકિંગ તથા  ફિશિંગ (phishing) ને અટકાવવા માટે કાર્યરત પ્રમુખ સંસ્થા છે. 
ભારતના ઇન્ટરનેટ ડોમેઇન ને સુરક્ષિત કરવાની જવાબદારી પણ CERT-in સંસ્થાની છે.

ભારત દ્વારા સાયબર સુરક્ષા સંદર્ભે દક્ષિણ કોરિયા, કેનેડા ,ઓસ્ટ્રેલિયા, મલેશિયા, સિંગાપુર ,જાપાન , કજાકિસ્તાન તથા યુ.કે સાથે વિવિધ સમજૂતીઓ કરેલી છે .

શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) સાથે પણ સાયબર સુરક્ષા અંગે સમજૂતિઓ  થઇ છે. 

તાજેતરમાં CERT-in તથા USA  ના હોમલેન્ડ સિક્યુરિટી ડિપાર્ટમેન્ટ વચ્ચે માર્ચ 2017 માં સાયબર સુરક્ષા અંગે સહયોગ ની સમજુતી થવા પામી છે. 

2.National informatics centre (NIC) રાષ્ટ્રીય સૂચના વિજ્ઞાન કેન્દ્ર

NIC ની સ્થાપના ઇ.સ.1976માં થઈ હતી. તેનો મુખ્યાલય નવી દિલ્હી ખાતે આવેલ છે.

દેશભરમાં ઈ-ગવર્નન્સ સ્થાપિત કરવામાં NIC અગત્યની ભૂમિકા નિભાવી રહ્યું છે.

દરેક રાજ્યમાં કેન્દ્રશાસિત પ્રદેશમાં NIC નું એક રાજ્ય સ્તરીય કેન્દ્ર  સ્થાપિત છે. તેમજ ભારતના દરેક જિલ્લામાં NICનું જીલ્લા સ્તરીય કેન્દ્ર સ્થાપવામાં આવેલ છે.

NIC દ્વારા નીચેની સેવાઓ આપવામાં આવી રહી છે.

1.     કોમ્પ્યુટર એઈડેડ ડિઝાઈન(CAD)

2.     જીયો ગ્રાફિકલ ઇન્ફર્મેશન સિસ્ટમ (GIS)

3.      Domain name રજીસ્ટ્રેશન

4.     ઇન્ટરનેટ ડેટા સેન્ટર

5.     સાયબર સિક્યુરિટી

6.     વિડિયો કોન્ફરન્સિંગ તાલીમ વગ

Nic દ્વારા પ્રતિ ત્રણ માસે ઇન્ફોર્મેટિક્સ (informatics) સામયિકનું પ્રકાશન કરવામાં આવી રહ્યું છે.

3.National Internet Exchange of Indian. ( NIXI)

NIXI ભારત સરકારની નફાના ઉદેશ્ય વગર કાર્યરત કંપની છે જેની સ્થાપના ઇ.સ. 2003માં થઈ હતી.

NIXI ભારતમાં ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર્સ (ISPS)નુ તટસ્થ  મિટિંગ પોઈન્ટ છે.

NIXIનો મૂળ ઉદેશ્ય ડોમેસ્ટિક ઈન્ટરનેટ ટ્રાફિક ના યોગ્ય એક્સચેન્જનો છે. જેનાથી ઇન્ટરનેશનલ બેન્ડવિથ નો યોગ્ય ઉપયોગ કરી શકાય છે.

NIXI દ્વારા ઈ.સ. 2005 માં IN Regisrty (.INDomain) સ્થાપના કરવામાં આવી છે.  જે એક સ્વાયત સંસ્થા છે તથા તે in  ડોમેઇનની જાળવણી કરવાની કામગીરી સંભાળે છે.

નેટ ન્યૂટ્રાલિટી મુદ્દે પણ NIXI તટસ્થ વલણ અપનાવવા માટે નોંધનીય કામગીરી નિભાવી રહી છે. Airtel   Zero Iનતેરનેટ. org મામલાઓમાં કડક તથા યોગ્ય વલણ અપનાવ્યું હતું.

4.ડિજિટલ લોકર(Digital Locker)

·        ડિજિટલ લોકર ભારત સરકારની એ ખૂબ મહત્વાકાંક્ષી પહેલ (Initiative)છે. જે ડિઝિટલ ઈન્ડીયા હેઠળ આરંભ કરાયેલ છે . જેનો મૂળ ઉદેશ્ય પેપરલેસ વ્યવસ્થા સ્થાપિત કરીને જ્ઞાન આધારિત નાગરિક સમાજની રચના કરવાનો છે .

·        ડિઝિટલ લૉકર પહેલમાં નાગરિકો પોતાનું ખાતું તૈયાર કરીને પોતાના અગત્યના દસ્તાવેજો જેમકે શૈક્ષનણિક આધાર પુરાવાઓ , ડ્રાઇવિંગ લાયસન્સ , મતદાર ઓળખપત્ર વગેરે અપલપડ કરીને સાચવી શકે છે .

·        ડિઝિટલ લૉકર હેઠળ e-Sign (ડિઝિટલ હસ્તાક્ષર) સુવિધા આપવામાં આવી રહી છે .  

·        ડિજિટલ લોકર પહેલ હેઠળ e-Sign( ડિજિટલ હસ્તાક્ષર) સુવિધા આપવામાં આવી રહી છે

·        અહીં પબ્લિક  કલાઉડની સુવિધા હેઠળ પ્રત્યેક ખાતાધારક ને 1 Gb સ્ટોરેજ ક્ષમતા પૂરી પાડવામાં આવી રહી છે.

·        આ પહેલ સાથે જોડાનાર વ્યક્તિએ  પોતાનો મોબાઈલ નંબર તથા આધાર નંબર જોવો પડે છે.

ડિજિટલ લોકર ના લોગો  સાથે નું સૂત્ર ‘ Your Document Anytime Anywhere છે

5.ERNET education and research network

ભારતની વિવિધ સંશોધન સંસ્થાઓ તથા શૈક્ષણિક સમુદાયોને સંકલિત કરવાના ઉદ્દેશ સાથે ERNET શરૂઆત થઈ

દેશમાં નેટવર્ક ની સ્થાપના તથા પ્રસારણમાં ERNETઅગ્રણી ભૂમિકા રહેલી છે. 

ERNET ની ભૂમિકા સોફ્ટવેર ઇજનેરી  અને મજબૂતી આપવામાં પણ રહેલી છે. 

ERNET ની શરૂઆત 1986માં થઈ હતી તથા (UNDP )United Nations Development Programme દ્વારા ERNET માટે સહાય પુરી પાડવામાં આવી હતી.

6.Centre for  Development of Advanced Computing- CDAC

ભારતમાં સુપર કોમ્પ્યુટર વિકસાવીને  વિશ્વના અન્ય ટેકનોક્રેટ દેશોની માફક પોતાનું આધુનિક મનાતું સ્થાન હાંસલ કરવા માટે CDAC ની સ્થાપનાં ઈ.સ.1988 માં કરવામાં આવી. 

.CDAC ની સ્થાપના પૂના ખાતે થયેલી છે.

ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ દ્વારા વિજય ભાટકર ને CDAC ના સંચાલનમાં જવાબદારીઓ સોંપવામાં આવી હતી.

CDAC  દ્વારા ઈ.સ. ૧૯૯૧માં PARAM -8000 સુપર કમ્પ્યુટર સ્થાપિત કરવામાં આવ્યું હતું.

CDAC નો મૂળ ઉદ્દેશ ખૂબ સારી કક્ષાના કોમ્પ્યુટર્સ સ્થાપિત કરવાનો હતો પણ તેનું કાર્યક્ષેત્ર ઘણો વિસ્તરેલું છે ઇલેક્ટ્રોનિક્સ બાયો ઇન્ફોર્મેટિક્સ,જિયોમેટિકસ,ડિજિટલ ફોરેન્સિક વગેરે ક્ષેત્રોમાં CDAC આગળ વધ્યું છે.

CDAC દ્વારા તૈયાર કરાયેલા પ્રોડક્ટ

·        PARAM :સુપર કમ્પ્યુટર શ્રેણી

·        Anvaya  Workflow : જિનોમ વિશ્લેષણ કરતું વ્યવસ્થાતંત્ર

·        Namescape :‘ આધાર’ પ્રોજેક્ટનું સર્ચ એન્જિન

·        GARUDA : ભારતની grid computing પહેલ

·        Bharat Operating System Solution  : “Linux આધારિત ઓપરેટિંગ સિસ્ટમ

·        Taxogrid : Drug discovery  સિસ્ટમ

PUNARJJANI માનસિક રીતે નબળા બાળકો ના મૂલ્યાંકન માટેની વ્યવસ્થ

7.AADHAAR 


આધાર’ 12 અંક‌ ધરાવતી અદ્વિતીય (Unique)યુનિક ઓળખ  સંખ્યા છે આ ઓળખ નંબર ભારત ના રહેવાસી ને તેની જનસંખ્યા કિય (Demographic) તથા બાયોમેટ્રિક માહિતીઓ ના આધારે આપવામાં આવે છે.

આ‌ માહિતીઓ  UIDAI (Unique Identification Authority of India) દ્વારા એકઠી કરવામાં આવે છે

UIDAIને 12 July, 2016 ના રોજ કાયદાકીય સંસ્થા નો દરજ્જો મળ્યો છે તથા આધારકાનું 2016 હેઠળ આ દરજ્જો મળ્યો છે.

UIDAI વર્તમાન મિનિસ્ટ્રી ઓફ ઇલેકટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી (Meity) અંતર્ગત કાર્ય કરે છે ‘આધાર’વિશ્વનો સૌથી મોટો બાયોમેટ્રિક ઓળખ કાર્યક્રમ છે

આધાર’ નાગરિકતા નો પુરાવો નથી તે માત્ર ભારતના રહેવાસી ની ઓળખ આપી છે આધાર નંબર મેળવવો ફરજિયાત છે કે મરજિયાત તે અંગે ચર્ચાઓ ચાલી રહી છે.

સરકાર ક્રમશઃ યોજનાઓને આધાર સાથે જોડી રહી છે તો બીજી તરફ માનનીય ઉચ્ચતમ ન્યાયાલય આધારને ફરજિયાત પણે કલ્યાણકારી યોજનાઓ સાથે જોડવાની તરફેણમાં નથી.

કેટલાક નાગરિક સંગઠનો જેમકે સીટિજન્સ  ફોરમ ફોર સીવીલ લિબર્ટીઝ ઇન્ડિયન સોશિયલ એક્શન ફોર્મ ફોરમ (INSAF) વગેરેની નિજતા ના અધિકારો ના અનુસંધાને ‘આધાર’ને ફરજિયાત કરવાનો વિરોધ કરે છે

31 માર્ચ, 2017 સુધીમાં  1. 133 બિલિયન લોકો એ આધાર એનરોલમેન્ટ કરાવેલ છે

B. Ministry of Communication  (મિનિસ્ટ્રી ઓફ કમ્યુનિકેશન) :

 વર્તમાન ઉપરોક્ત મંત્રાલય હેઠળ બે વિભાગો આવેલા છે જે નીચે મુજબછે.

1.      Department of  Telecommunication  (ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન)

2.      Department of  Post

1.      1. Department of  Telecommunication :  

આ વિભાગને દૂરસંચાર વિભાગ તરીકે પણ ઓળખવામાં આવે છે

આ વિભાગ ટેલિગ્રાફ,ટેલીફોન વાયરલેસ, ટેલીમેટ્રિક સેવા વગેરે વિવિધ પ્રકારની સંચાર સેવા સાથે જોડાયેલી નીતિઓ ,કાર્યક્રમો તથા કાર્યોના આંતર જોડાણ થી સરળતાથી ઊભી કરવાના કાર્યો કરી રહ્યું છે.

આ વિભાગ સંચાર ક્ષેત્ર સાથે જોડાયેલી બાબતોના કાયદા હેઠળની ની પ્રશાસનિક જવાબદારીઓ પણ ધરાવે છે.જેમાં નીચેના કાયદાઓનો સમાવેશ થઇ રહ્યું છે.

(I.) The Indian Telegraph act, 1885

(ii.)The Indian Wireless Technology act, 1940

(iii.) The Telecom Regulatory Authority of India act, 1997

 આ વિભાગ હેઠળ દૂરસંચાર સેવા ના લક્ષ્યને હાંસલ કરવા માટે ચાર સરકારી કંપનીઓ કાર્યરત છે જે નીચે મુજબ છે

1.ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)

સ્થાપના : 15 સપ્ટેમ્બર, 2000

મુખ્ય મથક  :નવી દિલ્હી

2.ઇન્ડિયન ટેલિફોન ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ(ITIL)

સ્થાપના : 1949

મુખ્યમથક : નવી દિલ્હી

3.મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ (MTNL)

સ્થાપના : 1986

મુખ્યમથક : નવી દિલ્હી

4 ટેલિકમ્યુનિકેશન્સ કન્સલ્ટન્ટ્સ ઇન્ડિયા લિમિટેડ (TCIL)

 સ્થાપના 19


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ